“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 13 જૂન, 2011

શાળાની ભૌતિક સુવિધા

  • શાળાના તમામ વિદ્યાર્થીઓના બેંકમાં ખાતા ખોલવામાં આવેલ છે. તથા બધા બાળકોને સરકારશ્રી તરફથી શિષ્યવૃત્તિ ડાઇરેક્ટ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળાના બધા બાળકોને યુનિફોર્મ લાવવા સહાય મળે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળાના બધા બાળકોને પુસ્તકો, સ્વ-અધ્યાયપોથીઓ સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
  • શાળામાં ભણતા વિકલાંગ બાળકોને વિકલાંગ સહાય આપવામાં આવે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળામાં સરકારશ્રીના મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર યુક્ત ભોજન આપવામાં આવે છે.
  • આ વિસ્તારના પાણીમાં ક્ષારનુ પ્રમાણ વધુ હોવાથી શાળામાં સરકારશ્રીની યોજના અંતર્ગત શાળાના બાળકોને RO SYSTEM આપવામાં આવી છે.
  • બધા બાળકોને જમવા માટે શાળામાં થાળી, વાટકી અને ગ્લાસની સુવિધા સરકારશ્રી ધ્વારા કરવામાં આવેલ છે.
  • ગામમાં ભૂતકાળમાં એક પુસ્તકાલય હતું જે બંધ થતા બધા પુસ્તકો શાળાને આપવામાં આવ્યા હતાં જે ધ્વારા શાળા પુસ્તકાલય બનાવેલ છે. તથા સમયાંતરે શાળામાં પુસ્તકો લાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
  • ધારાસભ્ય બોરસદ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબની ગ્રાન્ટમાંથી શાળાને એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર મળેલ છે.
  • ગામના અગ્રણી શ્રી જશભાઈ તરફથી શાળાને એક સેકન્ડ કમ્પ્યુટર ભેટ મળેલ છે.
  • ગામના પ્રથમ અગ્રણી નાગરિક એવા સરપંચ શ્રી સુરેશભાઈ તરફથી શાળાને ૨ કમ્પ્યુટર વોટર સેડ યોજના અંતર્ગત મળેલ છે.
  • રાષ્ટ્રીય તહેવારોમાં નગરની દૂધ ઉ. ડેરી તરફથી મીઠાઈ વહેચવામાં આવે છે.
  • ધો- ૫ થી ૮ ના બાળકોને બેસવા માટે બેન્ચિસ સરકારશ્રી તરફથી મળેલ છે.
  • શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ થવાથી જુના ઓરડા પાડી તેના સ્થાને નવા અત્યાધુનિક ૬ ઓરડા બનાવવામાં આવેલ છે.
  • શાળામાં જયારે કોઈ મદદની જરૂર હોય ત્યારે ગામના સેવાભાવી લોકો યથાશક્તિ મદદ કરે છે. શાળામાં જયારે પણ ચણતર ને લાગતું કામ હોય ત્યારે શ્રી મનુભાઈ પઢિયાર વગર મહેનતાનાએ કામ કરી આપે છે. ઇલેક્ટ્રિકને લાગતું કોઈ કામ હોય તો શ્રી સંજયભાઈ પરમાર મફતમાં કામ કરી આપે છે. શાળાને જયારે પણ ઠંડા પાણીની જરૂર હોય ત્યારે શાળાની બાજુમાં આવેલ રામદેવ ચિલ્ડ વોટર (શ્રી જશવંતભાઈ પરમાર) તરફથી પાણીના જગ આપવામાં આવે છે.
-:આ જુઓ નકશામાં આણંદ અને વડોદરાથી અમારી શાળા:- 

    1 ટિપ્પણી:

    અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
    Thanks