R.T.E. પછી આવેલા ઘણા ફેરફારોમાંનો એક ફેરફાર એટલે S.M.C.- School Management committee
[શાળા વ્યવસ્થાપન કમીટી].
સરકારશ્રી ના પરિપત્ર મુજબ શાળામાં એક સમિતિ બનાવવામાં આવે જેમાં શાળામાં ભણતા બાળકોના વાલીઓની અને શિક્ષકોની એક સમિતિ બનાવવાની હતી, જે માટે શાળાના આચાર્ય સાહેબશ્રી એ ગામલોકોની એક મીટીંગ બોલાવી. જેમાં ગામના સરપંચ સાહેબ શ્રી, પે સેન્ટરના આચાર્ય શ્રી, સી.આર.સી. શ્રી, ગામના આગેવાનો, વાલીઓ તથા માતાઓ ઉપસ્થિત રહ્યા.
મીટીંગમાં ઉપસ્થિત સર્વેનું આચાર્યશ્રીએ શાબ્દિક સ્વાગત કર્યા બાદ સૌને SMC વિશે માહિતગાર કર્યા. સૌ ગામ લોકોની સહમતીથી SMCની રચના કરવામાં આવી. સૌ ગામલોકોએ તેને સહર્ષ સ્વીકારી લીધી.
SMC રચના થયા પછી આચાર્ય સાહેબશ્રીએ સૌને શાળાનુ મકાન અદ્યતન કરવાની દરખાસ્ત મૂકી. સૌ સદસ્યોએ તેને સહર્ષ સ્વીકારી લીધી અને તન, મન અને ધનથી બનતી મદદ કરવાની તૈયારી બતાવી. શાળાના આચાર્ય સાહેબે તે વિશેની કાર્યવાહી હાથ ધરી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks