“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શનિવાર, 11 જૂન, 2011

એક ભયમુક્ત ભારતની કલ્પના

       ભારતમાં આજે આતંકવાદ ખુબ વધી રહ્યો છે. કોઈ પણ સરકાર આતંકવાદ રોકવા માટે કોઈ જવાબદારીભર્યું પગલું લેતી નથી. તેઓ આવે છે આપણને મારે છે અને જતા રહે છે સરકાર ફક્ત ખોટા વાયદા કર્યા કરે છે. આપને પણ આપણા મિત્રોને SMS કરી આતંકવાદી હુમલાના સમાચાર જણાવીએ છીએ, ભગવાન નો આભાર માણીએ છીએ કે હું તો બચી ગયો. T.V પર સમાચાર જોઈએ છીએ અને બીજા દિવસે આ બધું ભૂલી જઈ આપને આપણા કામમાં વ્યસ્ત થઇ જઈએ છીએ ખરું ને?
                    સરકાર આપણા ખિસ્સાના નાણામાંથી પોતાના માટે Z કક્ષાની સિક્યુરિટી રાખે છે. આતંકવાદીઓ પણ આવા નેતાઓને મારવાનું વિચારતી નથી કારણકે તે જાણે છે કે જો આપને તેઓને મારી નાખીશું તો જનતામાં આતંકવાદીઓનો ભય રહેશે નહિ.....
                     દરેક વખતે સામાન્ય માણસને જ સહન કરવું પડે છે. આપને કેમ આવા નેતાઓને ચુંટીએ છે જે આપણા માટે કશું કરતા નથી. તેઓ ફક્ત તેમના ખિસ્સા ભરવા માટે જ કામ કરે છે. કોઈ પોતાના હાથમાં બંદુક પકડવા માંગતું નથી.... પણ તેનો અર્થ એવો નથી કે તે આવું કરી શકતા નથી!! જયારે આપની અંદર સુતો સામાન્ય માણસ જાગી જશે ત્યારે ભારતમાં ફરીથી "નવનિર્માણ આંદોલન" સારું થઇ જશે. નિર્દય આતંકવાદીઓ એ જાણતા નથી કે તેમને મારી કાઢવા એ થોડી મીનીતોનું જ કામ છે. જો હવે કોઈ હુમલો થશે તો ભારતના બાળકોથી માંડી ઘરડાઓ પણ હાથમાં બંદુક ઉપાડતા વિચાર નહિ કરે. હવે એ દિવસો પણ દુર નથી કે જો નેતાઓ પોતાનો રવૈયો નહિ બદલે તો ભારતીયો પણ હાથમાં હથિયાર લેતા વિચાર પણ નહિ કરે....
                     લોહી રેડ્યા વિના શાંતિ મળતી નથી. શું કારગીલમાં આપણા લોકો શાંતિથી રહી શકે છે? મુશ્કેલીના સમયે શું આપને અફગાનિસ્તાનમાં આરામથી આપણું વિમાન ઉતારી શકીએ છીએ? તો શા માટે આપણા સંસદ પર હુમલો કરનારને આપની સરકાર કેમ છોડી દે છે? શું આપને ક્યારેય મળ્યા છીએ જેઓએ હુમલામાં પોતાનો કોઈ અંગ ઘુમાવ્યો હોય, હુમલામાં પોતાના પરિવારના સભ્યને ઘુમાવ્યું હોય? અને જો કોઈ મળ્યું હોય તો શું તેમનું દુઃખ દિલથી અનુભવ્યું છે? જો તમારો જવાબ હા હોય તો તમે આતંકવાદી હુમલો રોકવાનું જવાબદારી ભર્યું કામ કરી રહ્યા છો. શા માટે આપને બીજા દેશ પર આધાર રાખવો પડે છે, મદદ માગવી પડે છે? શા માટે આપને એવું કહીએ છીએ કે અમે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે સહમત થતા નથી. ક્યાં સુધી આમ જ ચાલ્યા કરશે?
                      આપણને અભિમાન થાય એવી સિક્યુરિટી એજન્સીઓ આપની પાસે છે જેમકે પોલીસ, આર્મી અને બીજી ઘણી બધી... આપણા કમાન્ડો, ફોર્સ, પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓની મદદ લઇ ભારતને બચાવવો જોઈએ. આપનામાં રહેલા વિશ્વાસને જગાવવાની જરૂર છે. ફક્ત નેતાઓને જ નહિ પણ ભારતના ૧૧૦ મિલિયન લોકોને Z કક્ષાની સિક્યુરિટી મળે તેમ કરવું જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં આપણને આઝાદી મળી કહેવાય. ભારતના બધા નાગરિકો વતી નેતાઓને વિનંતી કરીએ કે ભારતને બચાવે. ચાલો એક ખુશનુમા ભારતને બનાવવા બનતા પ્રયત્નો કરીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks