“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 20 જૂન, 2011

શું તમે જાણો છો જો કાળું નાણું ભારતમાં પાછુ આવી જય તો શું થાય?

 શું તમે જાણો છો જો ૪૦૦ લાખ કરોડ રૂપિયા પાછા આવી જાય તો શું થાય?
  •  ભારત ફાઈનાન્સીઅલ નંબર ૧ પર આવી જાય.
  •  દરેક જિલ્લાને ૬૦૦૦૦ કરોડ અને દરેક ગામને ૧૦૦ કરોડ મળે.
  •  ૨૦ વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્ષ ના ભરવો પડે.
  • પેટ્રોલ ૨૫રૂ., ડીઝલ ૧૫રૂ., સીએનજી ૧૫રૂ., દાળ ૨૦રૂ., દૂધ ૮રૂ.
  •  ૧૦ વર્ષ શુધી વીજળી મફત.
  •  આપની સરહદ પર બધી બાજુ ચીન કરતા પણ વધુ મજબુત બની જાય.
  •  પુરા દેશ માં ૨૦૦૦ જેટલી OXFORD કરતા પણ મોટી યુનિવર્સિટી બની જાય.
  •  ૯૫ કરોડ લોકોના પોતાના ઘર બની જાય.
  •  ભારત એક મહાસત્તા બની જાય.
  • ભારતના દરેક નાગરિકના ભાગમાં કરોડ કરતા વધુ રૂપિયા આવે.
  •  પાકિસ્તાન જેવા ૧૦ દેશ ખરીદવા હોય તો પણ ખરીદી શકીએ.
  • પુરા ભારતને એક બાગ જેવો ચોખ્ખો અને સુંદર દેશ બનાવી શકીએ.
              આવી તો કેટલીય સ્કીમો પૂરી થઇ જાય.
              અને છતાં પણ આપની સરકારને કાળું નાણું પાછું લાવવામાં કશો રસ નથી.
              લાનત છે યાર આવી સરકાર પર.......
              તમારું શું માનવું છે?
               અમને જણાવો.
              આ મેસેજને ભારતના દરેક નાગરિક સુધી પહોચાડો.
              આપની સરકાર પણ આ જાણે. અને પોતાની મહા ભૂલ સુધારે.

1 ટિપ્પણી:

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks