“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2012

અનાજના નમુનાનો અંક


                        17/8/2012 ના રોજ અનાજના નમૂનાનો અંક બનાવવાની પ્રવૃત્તિ આયોજન મુજબ કરવાની હતી. સમયસર પ્રાર્થનાસંમેલન બાદ ધો – ૭ના દરેક વિધાર્થીને ગોળ રાઉન્ડમાં બેસાડવામાં આવ્યા. આગામી સુચના મુજબ દરેક વિદ્યાથીઓ એક – એક અનાજનો નમુનો કાગળ કે નાની થેલીમાં લઇ આવ્યા. તેને પારદર્શક કોથળીમાં સરસ રીતે પેક કરવામાં આવી. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને એક એક સફેદ કાગળ આપવામાં આવ્યા. તેના પર વિદ્યાર્થીઓ પોતે લાવેલ નમુનાને એક કાગળમાં એક એમ વારાફરતી લગાડવામાં માંડયા.
               ત્યારબાદ દરેક પાના પર જે તે નમૂનાનું નામો પણ લખવામાં આવ્યા. પ્રવૃત્તિ દરમ્યાન માર્ગદર્શક શિક્ષકે બાળકોને અનાજની વિગતે સમજ પૂરી પાડી.  કામ પૂરું જણાતા દરેક વિધાર્થી પાસેથી કાગળો એકત્રિત કરવામાં આવ્યા. ત્યારબાદ માર્ગદર્શક શિક્ષક સાહેબે તેને પંચીગ કરી તેની ફાઈલ બનાવી. ત્યારબાદ વિદ્યાર્થીઓને ફાઈલનું નિદર્શન કરાવવામાં આવ્યું.

                અંતે ધો-૭ ના સૌ વિધાર્થીઓને સહકાર બદલ આભાર માની આ પ્રવૃત્તિ પૂર્ણ જાહેર કરવામાં આવી.

2 ટિપ્પણીઓ:

  1. આજ રોજ નેટ ઉપર સરકારી પ્રાથમીક શાળાઓના બ્લોગની મુલાકાત લીધેલ.

    શાળાનો ઈતીહાસ, શીક્ષકોની માહીતી, વીધ્યાર્થીઓની વીવીધ પ્રવૃતીઓ, ફોટાઓ, વગેરે જોયા.

    મુલાકાત લીધેલ બધા શાળાઓના બ્લોગ ઉપર આ કોમેન્ટ લખેલ છે.

    યુનીકોડ અને ઉંઝા જોડણીમાં આ ગુજરાતી લખાંણ ગમભન નામના નેટ પાટીયા ઉપર કરી કટીંગ પેસ્ટીંગ કરેલ છે.

    મારું નામ વીકે વોરા છે. ડુમરાની બાજુમાં નારાણપર મારું ગામ છે અને ગામની પ્રાથમીક શાળામાં છ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.

    આઝાદી પહેલાં ગામમાં પ્રાથમીક શાળા હતી અને દેશ સ્વતંત્ર થયા પછી કચ્છ રાજ્ય અને પછી મુંબઈ રાજ્યની બીન સરકારી ખાનગી શાળા ગામમાં હતી.

    સાતમું ધોરણ કચ્છ જીલ્લાના અબડાસા તાલુકામાં ગામ ડુમરામાં સરકારી પ્રાથમીક શાળામાંથી એપ્રીલ ૧૯૬૩માં પાસ કરેલ છે.

    ૧૯૬૨માં ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્ય થતાં મારી શાળા ગુજરાત રાજ્યમાં આવી.

    ડુમરા સરકારી હાઈસ્કુલમાંથી ૧૧મી પાસ કરી પછીનો અભ્યાસ મુંબઈમાં કરેલ છે.

    ગુગલના બ્લોગ ઉપર ઘણાં સમયથી ખાતું છે અને ફેસ બુક ઉપર પણ ખાતું છે.

    મારા બ્લોગનું સરનામું http://vkvora2001.blogspot.in/ છે.

    જવાબ આપોકાઢી નાખો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks