“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

ગુરુવાર, 22 માર્ચ, 2012

આભારપત્ર - આ બ્લોગના વાચક મિત્રો અને ફેન્સને


 ફક્ત ૭૯ પોસ્ટ્સ થઇ છે છતાં પણ જુદા જુદા ૨૧ દેશોના ૧૩૪૧ ચાહકો (Fans) અને ૪૦૧૪ બ્લોગના મુલાકાતીઓ થઇ ગયા છે.  અમારા શાળા પરિવારમાં જોડાઈ ગયા બદલ અમે સૌ શાળાપરિવાર આપનો સાચા દિલથી આભાર માણીએ છીએ. ૧ વર્ષ અને ૬ મહિના થયા છે ત્યારે આપસૌનો અમે આભાર માણીએ છીએ. અને આ રીતે અમારો સાથ નિભાવતા રહેશો એવી અમને આશા છે.

 

                                   સાથે  સાથે અમારા બ્લોગને વધુ પ્રચલિત કરવામાં મદદ કરનાર શ્રી જાદવભાઈ, ગોવિંદકાકા, કિશોરભાઈ સાહેબ તથા મુકેશભાઈ ડેરવાળિયાના અમે સાચા દિલથી આભાર માણીએ છીએ. આ મિત્રોએ એમના બ્લોગ પર અમારો પ્રચાર અને સ્થાન આપ્યું છે જે અમારા માટે આનંદની વાત છે. આપણા બ્લોગ પર સ્થાન આપી તમે તો અમારા દિલમાં સ્થાન સ્થાપી દીધું છે.

2 ટિપ્પણીઓ:

  1. શ્રી નીલેશભાઈ તથા સમગ્ર શાળાના ગૌરવવંતા શિક્ષક મિત્રો.

    ખુબ ધન્યવાદને પત્ર છો આપ બધા કેમ કે એક નાની શાળાની

    આદર્શ રૂપ પ્રવૃતિઓ બ્લોગના માધ્યમ થાકી સમગ્ર જગતને એક

    નવતર રાહ ચીધો છો.

    જવાબ આપોકાઢી નાખો
  2. બ્લોગ અને શાળાનું નામ હજુ તો ગગને ગાજશે

    જવાબ આપોકાઢી નાખો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks