“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 23 માર્ચ, 2012

  ૨૩ મી માર્ચ એટલે ભારતની આઝાદીના દીવાના એવા શહીદ વીરો
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેમણે હસતા મુખે ફાંસીએ ચઢીને
આઝાદીના ઇતિહાસના પ્રકરણમાં શહાદત વીરોનું અનેરું સન્માન પામ્યા.
આવો આજે સહુ સાથે મળી તેમની શહાદતને યાદ કરીએ.
  

હતા અમે તો આઝાદીના એવા જ  દીવાના
દેશદાઝ કાજે લીધાં છે પ્રણ મરી ફીટવાના
 આઝાદીની દુલ્હનને લોક હૈયે ઝુલાવવાના
અંગ્રેજી સલ્તનત કેરા જુલ્મો નહિ સહેવાના
હતો હું ભગત પણ નહિ ખ્વાબ પૂજાવાના
છું  સુખદેવ નથી દિવસો સુખ ભોગવવાના
છું રાજગુરુ પણ ઓરતા છે જંગે ચઢવાના
ખેલીશું જંગ એવો કે  સલ્તનતને ધ્રુજાવાના
 ઇન્કિલાબ જિંદાબાદનો એક નારો ગજવનારા
 વંદે માતરમના કોમી નારે શહીદી વહોરનારા
ભલે ભુલાવી દે અમને આજે સત્તા ભોગવનારા
 અમ શહીદો જન માનસમાં હરદમ ધડકનારા
==============================
સ્વપ્ન જેસરવાકર

3 ટિપ્પણીઓ:

  1. ખૂબ જ સરસ.....
    ખૂબ જ સુંદર...
    અભિનંદન...
    આપનાં વિચારો ઉમદા છે.
    શિક્ષણ જગત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ મારા બ્લોગની અવશ્ય મુલાકાત લે.

    પ્રશાંત ગવાણીયા

    http://prashantgavaniya.blogspot.in

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ જ સરસ.....
    ખૂબ જ સુંદર...
    અભિનંદન...
    આપનાં વિચારો ઉમદા છે.
    શિક્ષણ જગત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ મારા બ્લોગની અવશ્ય મુલાકાત લે.

    પ્રશાંત ગવાણીયા

    http://prashantgavaniya.blogspot.in

    જવાબ આપોકાઢી નાખો
  3. ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે અભિનંદન
    આગળ વધો તેવી શુભ કામના

    જવાબ આપોકાઢી નાખો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks