“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

બાળ વૈજ્ઞાનિકોને મળેલ Inspire એવોર્ડ

                                Ministry Of Science And Technology, department Of Science And Technology, New Delhi દ્વારા Innovation Science Pursuit For Inspired Research (INSPIRE) પ્રોગ્રામ અંતર્ગત Scheme For Early Attraction Talent For Science (SEATS) નામની યોજના અમલમાં મુકવામાં આવી છે. તે મુજબ ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથ ધરાવતા બાળકો માટે રૂ.૫૦૦૦/- નો એવોર્ડ આપવાની યોજના વર્ષ ૨૦૦૯-૨૦૧૦ થી ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.
                               ગુજરાત રાજ્યમાં માન. અગ્રસચિવશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ યોજનાનું અમલીકરણ થઇ રહ્યું છે. આ યોજનાનો લાભ ગુજરાતના બાળકોને વર્ષ ૨૦૧૦-૨૦૧૧ દરમ્યાન આપવા સારું ગત વર્ષે તમામ પ્રાથમિક/ માધમિક શાળાઓમાંથી નામ મંગાવવામાં આવેલ હતાં. આ આવેલ નામો ભારત સરકારને મોકલી આપવામાં આવેલ હતાં. જે અન્વયે તેમના તરફથી પ્રાથમિક શાળાઓ માટે પસંદગી થઈને ગુજરાત રાજ્યમાં કુલ ૧૧૭૯૭ Inspire એવોર્ડ મંજુર કરવામાં આવેલ છે.
                               આ સંદર્ભે આ શાળામાંથી ૨ બાળાઓ પસંદ થયેલ છે. જેમના નામ નીચે મુજબ છે.
  1.  ક્રિષ્નાબેન રંગીતસિંહ પરમાર ધો-૬
  2.  નીરૂબેન મનુભાઈ વાઘેલા ધો-૭
                                જીસીઈઆરટી ના માર્ગદર્શન અને પરીપત્ર (ક્રમાંક જીસીઇઆરટી/ વિજ્ઞાન/૨૦૧૧/૧૪૭૧૦-૬૨) મુજબ એવોર્ડના જે નાણા વિધાર્થીને આપવાના છે તે નાણા પૈકી ૫૦% નાણાનો ઉપયોગ વિજ્ઞાન પ્રદર્શન માટે મોડેલ્સ બનાવવા માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ જીલ્લા કક્ષાના પ્રદર્શન સુધી ટ્રાવેલિંગ ખર્ચ માટે અને વિજ્ઞાન શિક્ષણ સંદર્ભેની પ્રવુત્તિ માટે કરવામાં આવશે. શાળામાં આ અંગેનું સંમતિપત્ર આ વિદ્યાર્થીઓના વાલી પાસેથી લેવામાં આવેલ છે.
"બન્ને બાળાઓને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks