“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

શું આપ એક જાગૃત વાલી છો?

                         ‘વાલી’ની ભૂમિકા અર્જુનરૂપી ‘વિદ્યાર્થી’ના શ્રીકૃષ્ણરૂપી ‘સારથી’ બનવાની છે. તમારે તો ભગવદ્ ગીતાનો ઉપદેશ જગતને આપવાનો છે, પ્રશ્ર પૂછવાનો નથી!
                  શું ખરેખર આપણે એક જાગૃત વાલી છીએ? ચાલો જાણીએ એક કસોટી ધ્વારા.
સૂચનાઓ:-
  1. સમયમર્યાદા: ૨૦ મિનિટ, મહત્તમ સ્કોર: ૧૦૦
  2. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
  3. દરેક પ્રશ્નનો જવાબ તટસ્થતાથી આપવો.
૧. તમારા સંતાનનો રોલનંબર, વર્ગ, વર્ગ શિક્ષકનું નામ જાણો છો?
(એ) ના (બી) એક વિગત (સી) બે વિગતો (ડી) ત્રણેય વિગતો

૨. વર્ષ દરમિયાન લીધેલી શાળાની મુલાકાત
(એ) એકવાર પણ નહીં (બી) એકાદ વાર (સી) વાલી મીટીંગ/પરિણામ વખતે/ફરિયાદ પૂરતી (ડી) ઘણીવાર

૩. સંતાનની શાળાનો/ વર્ગ શિક્ષકનો ટેલિફોન નંબર આપની પાસે છે?
(એ) નથી (બી) કદાચ છે (સી) ડાયરીમાં છે (ડી) મોબાઇલમાં સેવ છે

૪. સંતાનના મિત્રવર્તુળની માહિતી/અંગત મિત્રોનાં માતા-પિતાની માહિતી
(એ) નથી (બી) થોડીક (સી) જરૂરિયાત પૂરતી (ડી) સંપૂર્ણ

૫. તેની છેલ્લી પરીક્ષાનું વિષયવાર પરિણામ/પસંદગી તેમજ નબળા વિષયોની જાણકારી...
(એ) ના (બી) થોડીક (સી) લગભગ (ડી) સંપૂર્ણ

૬. તેના મૂડ પરથી તેની તૈયારી/પરીક્ષાનું પરિણામ જાણી શકો?
(એ) ના (બી) કદાચ (સી) લગભગ (ડી) હા

૭. અજાણ્યા મિત્રોના ફોન સાંભળો છો? તેની ગેરહાજરીમાં તેની વસ્તુઓ ચકાસો છો?
(એ)ના (બી) ક્યારેક (સી) ઘણીવાર (ડી) હા

૮.સવારે વહેલા/ રાત્રે મોડેથી વાંચે ત્યારે તમારી હાજરી
(એ) શૂન્ય (બી) નહિવત્ (સી) ક્યારેક (ડી) સંપૂર્ણપણે

૯. તેનું ભાવિ સપનું/ તેનો ‘આદર્શ-રોલ મોડલ’ જાણો છો?
(એ) ના (બી) કદાચ (સી) લગભગ (ડી) હા

૧૦. તેના પ્રત્યે આપની ભૂમિકા
(એ) વાલીની (બી) માર્ગદર્શકની (સી) મિત્રની (ડી) જરૂરિયાત મુજબની

***

પ્રત્યેક (એ) જવાબના: (-૧) ગુણ
પ્રત્યેક (બી) જવાબના: ૦૨ ગુણ
પ્રત્યેક (સી) જવાબના: ૦૬ ગુણ
પ્રત્યેક (ડી) જવાબના: ૧૦ ગુણ

હવે તમામ પ્રશ્નોના જવાબોનાં ગુણોનો સરવાળો કરો અને જો તમારો સ્કોર...

૩૦થી ઓછો: માફ કરશો, આપ ‘બેદરકાર વાલી’ છો.
 
૩૦થી ૫૦ની વચ્ચે: ‘જાગૃત વાલી’ બનવા મહેનતની જરૂર.
૫૦થી ૭૦ની વચ્ચે: ‘જાગૃત વાલી’ની નજીક
૭૦થી વધુ: અભિનંદન, આપ ‘જાગૃત વાલી’ છો








હળવી મજાક
  • ‘બેબી બારમામાં આવી કે અમારું ‘બારમું’ થઇ ગયું!
  • આ તો તેની પરીક્ષા છે, કે અમારા જેવા ‘વાલી’ની?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks