“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 8 એપ્રિલ, 2011

ડસ્ટરથી ડોક્ટર સુધી

પાત્રપરિચય
બચુ – ૭મા ધોરણનો વિદ્યાર્થી
સાહેબ – બચુના ગુજરાતી શિક્ષક
રામુભાઇ – શાળાનાં પટાવાળા
—–
અચાનક સાહેબ આવ્યાને ભંગ થયો બચુનો આરામ,
‘બચુ, લાવ તારી નોટ, બતાવ ગઈકાલનું ઘરકામ’,
‘આજે તો કર્યું છે, સાહેબ’, કહી બચુએ નોટ આપી,
એક જ નજર મારી સાહેબે એક અલબોટ* આપી.
નોટમાં કંઇક નોંધ કરી, પછી કહે, ‘હાથ ધર તો બચુ’,
હાથ ધરતા ધરતા, બચુની હાલત થઇ ઢચુપચુ;
નાળીયેરવાળો નાળીયેર પર જેવી રીતે કરે પહેલો ઘા,
સાહેબનાં ડસ્ટરનાં એવા ઘાથી બચુને યાદ આવી ગ્યા એનાં બા.
બીજા ઘાથી બચવા માટે, બચુની પ્રતિક્ષિપ્ત ક્રિયા** તો ચાલી,
પણ ડસ્ટરથી બચેલી આંગળીઓ બેંચની તીક્ષ્ણ ખીલીમાં ચાલી.
પછી તો બચુનાં આંસુઓ અને લોહી વચ્ચે જામી વહેવાની હરીફાઈ,
સાહેબે રૂમાલથી બચુની આંગળી દાબીને, બુમ પાડી, “ઓ રામુભાઇ”.
“જરા બચુને દવાખાને લઇ જાઓ, પાટો લગાડી આવો,
પાછો અહી લાવવાની જરૂર નથી ઘેર પહોચાડી આવો”
દફતર, નોટ અને બચુને લઇ રામુભાઇ ડોક્ટરને ત્યાં જવા નીકળ્યા,
રસ્તામાં બચુને પૂછ્યું, ‘સાહેબ તારા પર આટલા બધા કેમ બગડ્યા?’
રડતા રડતા બચુ કહે, ‘લેશન તો મેં કર્યું હતું, તોય ખબર નહિ કાકા!
હા, સાહેબે એક નોંધ કરી છે, પણ મને એકેય અક્ષર નથી વંચાતા’
રામુભાઇએ પણ નોંધ જોઈ, પણ નાં ઉકલ્યો એકેય અક્ષર,
રામુભાઇ વિચારે મનમાં, “લો , આવા ગુજરાતીના સાક્ષર!”
એટલામાં પહોંચી ગયા ડોક્ટરને ત્યાં, અને ડોક્ટરને આંગળી દેખાડી,
ડોક્ટરે દવા લગાવતા પૂછ્યું, “બેટા, ક્યાં આંગળી અથાડી?”
ડસ્ટરથી લઇને નોંધ સુધી, બચુએ આખી વાર્તા કીધી,
નોંધનું Suspense સમજવા ડોક્ટરે નોટ માગી લીધી.
નોટ આપી અને રામુભાઇ કહે,”અમને તો ખ્યાલ આવ્યો નહિ, તમે જ કંઈ પ્રકાશ પાડો.”
ડોક્ટરે નોટ હાથમાં લઇ એક જ નજર નાખી ને કહ્યું,” નોંધમાં લખ્યું છે, “અક્ષર સુધારો”"



*અલબોટ – માર ખાતા પહેલા મળેલી ધમકી વખતે સાંભળેલો શબ્દ
**પ્રતિક્ષિપ્ત ક્રિયા – ચેતાપરાવર્તી ક્રિયા; ‘રિફ્લેક્સ-ઍક્શન’
(કેવો જમાનો આવી ગયો છે, ગુજરાતીને સમજાવવા અંગ્રેજીમાં લખવું પડે છે.
તા.ક. -
“ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે” – મહાત્મા ગાંધી
“તો પછી ડોક્ટર લોકો…”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks