“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

મંગળવાર, 29 નવેમ્બર, 2011

ખેલમહાકુંભ ૨૦૧૧

                 રાજ્યના સુવર્ણ જયંતી વર્ષમાં અન્ય સેકટરોની સાથે રમતગમત ક્ષેત્રનો પણ વિકાસ થાય, લોકો સાથે તાદાત્મ્ય ઉંભુ થાય, લોકો ભાગીદારી ઉપલબ્ધ બનાવાની સાથે રાજ્યમાં રમતગમતનો સાર્વત્રિક માહોલ ઉપલબ્ધ થાય જેને પરિણામે લાંબાગાળે રાજયનું ગૌરવ વધારે તેવી પ્રતિભાવોનું સર્જન થાય તે હેતુથી ગુજરાત સરકારે "ખેલમહાકુંભ" - ખેલ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યો છે.
                 અમારી શાળાના લગભગ ૧૦૦ જેટલા બાળકોએ ૧૬ વર્ષથી નીચેની વયજૂથ વિભાગની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કહાનવાડી જીલ્લા પંચાયત સીટ સ્પર્ધા ભેટાસી પ્રા. શાળામાં રાખવામાં આવેલ હતો.
29/11/2011


                 આજે કબ્બડીની રમત હતી. જેમાં ધોરણ ૭ ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોના શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે બાળકો રનર્સ અપ બન્યા હતાં. રમતમાં ભેટાસી વાંટા પ્રા.શાળાના બાળકોની સાથે ફાઈનલમાં હારી થોડા પોઈન્ટસ માટે હાર્યા હતાં. ફાઈનલ સુધી પહોચવા બદલ દરેકે ખુબ ખુબ અભિનંદન મળ્યા હતાં.

30/11/2011



                      આજે ખો-ખોની રમત સ્પર્ધા હતી. જેમાં બાળકોએ ખુબ ખુબ ઉત્સાહ પૂર્વક રમત રમી ફાઈનલ જીત્યા હતાં. આજે બાળકોમાં ખુબ ખુબ ઉત્સાહ દેખાતો હતો. દરેકે ખુબ ખુબ અભિનદન અને વધુ આગળ વધે તેવા શુભાશિષ આપ્યા હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks