“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 22 જુલાઈ, 2011

અમારી નવી શાળા


     




                      શાળાના જર્જરિત ઓરડા પાડી નાખવાની તૈયારી રૂપે શાળામાં જાહેર હરાજી કરવામાં આવી. હરાજી બાદ ઓરડા પાડવાની કામગીરી શરુ થઇ ગઈ. જુવો હવે અમારી શાળાની સ્થિતિ.....



શાળાના બધા ઓરડા પાડી જે ઘન કચરો નીકળે તે દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી.



                   શાળા સમય બાદ અમારી શાળાના શિક્ષકો- ચંદુભાઈ, કાન્તીભાઈ અને જલદીપભાઈ હળવાશની પળોમાં મદદ કરતા નજરે પડે છે.









                                   હવે આમારી સામે એક મોટો પ્રશ્ન  હતો બાળકોને બેસાડવા ક્યાં?
       
               શાળાના આચાર્ય શ્રી રામસિંહ રૂપસિંહ સાહેબ ગામના સ્થાનિક હોવાથી ગામલોકોનો સંપર્ક કરી અમારી બેસવાની વ્યવસ્થા કરી.



             શાળાથી ૨૦૦ મીટરના અંતરે સ્વ. શંકરભાઈ રણછોડભાઈ પરમારના અત્યાધુનિક બાંધકામ વાળા મકાનો તૈયાર હતાં. અને શંકરભાઈના પુત્રોએ શાળાના બાળકોને બેસવાની મંજૂરી લેખિત સ્વરૂપે અમને આપી અને બનતી મદદ કરવાની તૈયારી બતાવી.








ધો  ૫ થી ૭ ના બાળકોને ત્યાં બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું.
         આ જુઓ નવા સ્થાને ભણવા જતા અમારા ધો-૫ થી ૭ ના બાળકો.
       અહીં જુઓ અમારા નવા ત્રણ વર્ગો....




ધો-૫

 
ધો-૭
ધો-૬


                  અમારી શાળાની બાજુમાં શ્રી રાયસંગભાઈ રણછોડભાઈ પરમારનું ઘર આવેલું છે. જેમને પણ અમને બાળકો બેસાડવાની મંજૂરી આપી. તેથી અમે ત્યાં ધો-૧ અને ૨ બેસાડવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે નવા સ્થાનનું ઉદઘાટન કરતા શ્રી રાયસંગકાકા.









          રાયસંગ કાકાને ત્યાં શ્રીફળ અને પ્રસાદ વહેંચી અમે સૌએ પ્રાર્થના કરી ત્યારબાદ અમારો શિક્ષણ યજ્ઞ આગળ વધારવા સૌ શિક્ષણ કાર્યમાં જોડાઈ ગયા.












શાળાને મદદ કરવા બદલ બંને પરિવારને શાળા તરફથી ખુબ ખુબ અભિનંદન..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks