“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

રવિવાર, 13 માર્ચ, 2011

પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી.. જરૂરથી વાંચજો.

             અમેરિકામાં એક માણસ પોતાની નવી કારને પોલીશ કરી રહ્યો હતો ત્યારે તેના સાત વર્ષના બાળકે પથ્થર લીધો અને કાર પર લીટા પાડવા લાગ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં તે માણસે તે જ પથ્થર વડે બાળકનો હાથ ભાગી નાખ્યો. તે માણસને ખબર ન હતી કે તે શું કરી રહ્યો હતો. બીજા દિવસે દવાખાનામાં ખબર પડી કે વધારે પડતા ફ્રેક્ચરના કારણે બાળકે બધી આંગળીયો ખોઈ નાખી હતી. જયારે બાળકે દુઃખી આંખો વડે પોતાના પપ્પાને જોયા ત્યારે તે બોલ્યો:- પપ્પા મારી આંગળીયો ક્યારે પાછી આવશે...?! તે માણસ ખુબ દુઃખી થયો અને કશું કહી ના શક્યો.
               તે કાર પાસે પાછો આવ્યો અને કારને ખુબ લાતો મારવા લાગ્યો. જયારે તેને ભાન આવ્યું ત્યારે દુઃખી થઇ કાર પાસે બેસી ગયો. એટલામાં તેની નજર લીટા પર પડી- બાળકે લખ્યું હતું," I LOVE YOU DAD"
           ....................

                 .............. બીજા દિવસે સમાચારમાં આવ્યું કે તે માણસે આપઘાત કરી લીધો હતો.
                પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી. પોતાની ઝિંદગી સુંદર અને મધુર બનાવવા કયો શબ્દ પસંદ કરવો એ તમારા હાથ માં છે.
                વિચારો ઉપયોગ માટે અને માણસ પ્રેમ માટે હોય છે. પણ આ યુગમાં પ્રશ્ન એ છે કે આજે માણસનો ઉપયોગ અને વિચારોને પ્રેમ કરાય છે.
                ગુસ્સામાં કોઈ નિર્ણય લેશો નહિ અને ખુશી માં કોઈને વચન આપી દેશો નહિ.

2 ટિપ્પણીઓ:

  1. ઉદાહરણ ખુબ જ સુંદર અને મહત્વનું છે. સાચે જ આજે માણસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણે શિક્ષક તરીકે બાળકોની મુક લાગણીઓને ખરેખર સમજવી જ જોઈએ અને તેને આપણા વિચારો નહિ પણ પ્રેમ આપવો જોઈએ. બાળક એ ઈશ્વરનું એક રૂપ જ છે. તેનામાં ચતુરાઈ નહિ પણ નિર્દોષતા ઠાંસી ઠાંસીને ભરેલ હોય છે. જે આપના ઉદાહરણમાં જોવા મળી, જે પાષણ હૃદયને પણ પીગળાવવાની શક્તિ ધરાવે છે. જો આ ઉદાહરણ વાંચીને તમારા હૃદયમાં રહેલ લાગણીના તાર ઝણ ઝ્ણે નહિ તો આપનું બુ.અ.પ્ર. નું સર્ટીફીકેટ ફરી ચકાસી લેજો,,,,,,,,,,
    કે આપણે તે માટે યોગ્ય છીએ કે પછી કોઈ "માણસનો ઉપયોગ" કરીને તે ફક્ત રોજી મેળવવાના આશયથી જ મેળવેલ છે..........

    જવાબ આપોકાઢી નાખો
  2. ઉદાહરણ ખુબ જ સુંદર અને મહત્વનું છે. સાચે જ આજે માણસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણે શિક્ષક તરીકે બાળકોની મુક લાગણીઓને ખરેખર સમજવી જ જોઈએ અને તેને આપણા વિચારો નહિ પણ પ્રેમ આપવો જોઈએ. બાળક એ ઈશ્વરનું એક રૂપ જ છે. તેનામાં ચતુરાઈ નહિ પણ નિર્દોષતા ઠાંસી ઠાંસીને ભરેલ હોય છે. જે આપના ઉદાહરણમાં જોવા મળી, જે પાષણ હૃદયને પણ પીગળાવવાની શક્તિ ધરાવે છે. જો આ ઉદાહરણ વાંચીને તમારા હૃદયમાં રહેલ લાગણીના તાર ઝણ ઝ્ણે નહિ તો આપનું બુ.અ.પ્ર. નું સર્ટીફીકેટ ફરી ચકાસી લેજો,,,,,,,,,,
    કે આપણે તે માટે યોગ્ય છીએ કે પછી કોઈ "માણસનો ઉપયોગ" કરીને તે ફક્ત રોજી મેળવવાના આશયથી જ મેળવેલ છે..........

    જવાબ આપોકાઢી નાખો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks